-
Today 25-06-2025 09:18:pm
પાકીસ્તાનની સીમાને અડીને આવેલા કચ્છના સરહદીય વિસ્તાર લખપત તાલુકાના મુધાન નજીકના રણ વિસ્તારમાં સર્વેની કામગીરી કરતી ખાનગી કંપની જીએચસીએલના ત્રણ જેટલા કર્મચારીઓ વોટર લેવલની કામગીરી કરવા ગયા બાદ મોડી સાંજે ક્રિક વિસ્તારમાં બોટ પલટી જતા લાપતા થયા હતા.ત્રણેય કર્મચારીઓની બીએસએફ તેમજ પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવતા 20 કલાક બાદ પીલર નંબર 1170 પાસેથી હેમખેમ મળી આવતા એજન્સીઓ અને કંપનીના અધિકારીઓએ નિરાંતનો શ્વાસ લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ લખપત તાલુકાના સરહદીય મુધાન,હાજીપીર વિસ્તારમાં વોટર લેવલ સર્વેની કામગીરી કરતી GHCL કંપનીના એન્જીનીયર કરણસિંહ જાડેજા, સર્વેયર રવિન્દ્ર અરેચીયા તેમજ ઓપરેટર આદર્શ કુમાર શુક્રવારે રણ વિસ્તારમાં સર્વે બાદ અટપટા ક્રિક વિસ્તારમાં વોટર લેવલ માપવાની કામગીરી કરવા માટે બોટથી ગયા હતા.એ દરમિયાન અટપટા ક્રિક વિસ્તારમાં મોડી સાંજે તેઓની બોટ અચાનક પલટી મારી જતા આ ત્રણેય કર્મચારીઓ કંપનીના અધિકારીઓ સાથે સંપર્ક વિહોણા બન્યા હતા.તો બીજી તરફ ત્રણેય કર્મચારીઓનો સંપર્ક તૂટી જતા અધિકારીઓમાં પણ ચિંતા ફેલાઈ હતી.બનાવ અંગે કંપનીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક બીએસએફ,પોલીસ તેમજ જિલ્લા કલેકટરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.પાકિસ્તાન સીમાને અડીને આવેલા વિસ્તારમાંથી એક સાથે ત્રણ લોકો લાપતા બનતા વિવિધ એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ હતી અને શુક્રવારે વહેલી સવારથી જ આ ત્રણેય કર્મચારીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.GHCL કંપનીના અજીત કોટેજાએ જણાવ્યું હતું કે ત્રણ કર્મચારીઓ ગુમ થતા શુક્રવારે વહેલી સવારે તેઓએ લખપત બીએસએફ તેમજ નરા પોલીસ મથકના પી.એસ.આઇ વી.ડી.ગોહિલનો સંપર્ક કરતા પોલીસ તેમજ બીએસએફ દ્વારા આ વિસ્તારમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી લખપત નજીકના અટપટા ક્રિક વિસ્તારમાં બીએસએફ દ્વારા બે બોટ તેમજ બે જેટલા ડ્રોન દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી તેમજ લાપતા બનેલા ત્રણેય કર્મચારીઓ અટપટા ક્રિક વિસ્તારમાંથી બીએસએફના જવાનોને શોધખોળ દરમિયાન પિલર નંબર 1170 નજીક ક્રિક વિસ્તાર માંથી હેમખેમ મળી આવ્યા હતા તેમજ કોટેજાએ વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે જિલ્લા કલેકટરનું ધ્યાન દોરવામાં આવતા બપોરે એરફોર્સનું ડ્રોન પણ આવી પહોંચ્યું હતું તેમ જ જામનગરથી પ્લેન પણ ભુજ આવી પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું પરંતુ એરફોર્સ નું ડ્રોન તેમજ પ્લેન આવ્યા તે પહેલા જ આ ત્રણેય કર્મચારીઓ હેમખેમ સલામત મળી આવ્યા હતા બોટ દ્વારા સર્વેની કામગીરી દરમિયાન તેઓની બોટ પલટી મારી જતા તેઓના મોબાઇલ પાણીમાં પડી ગયા હોવાથી આ ત્રણેય કર્મચારીઓ સંપર્ક વિહોણા બન્યા હોવાથી તેઓની હાથ ધરવામાં આવેલી શોધખોળ દરમિયાન તેઓને પીલર નંબર 1170 પાસેથી શુક્રવારે બપોરે બીએસએફના જવાનોએ શોધી લીધા હોવાનું અને તેઓ હેમખેમ હોવાનું જણાવીને કહ્યું હતું કે લાપતા બનેલા આ ત્રણેય કર્મચારીઓને પોલીસ સાથે અમો લેવા માટે પીલર નંબર 1170 તરફ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું તો બીજી તરફ આ ત્રણેય કર્મચારીઓ હેમખેમ પરત મળી આવતા બીએસએફના જવાનો પોલીસ તેમજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓ સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો - લાપતા બનેલા ત્રણેય કર્મચારીઓ હેમખેમ મળી આવતા GHCL ના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ખુશી શુક્રવારે બપોર બાદ રણ વિસ્તારમાં સર્વેની કામગીરી કરવા ગયેલા અને લાપતા બનેલા ત્રણેય કર્મચારીઓ શ હેમખેમ મળી આવતા જી એચ સી એલ ના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ખુશી સાથે રાહતની લાગણી ફેલાઈ હતી . લાપતા બનેલા આ ત્રણેય કર્મચારીઓને બીએસએફ પાસેથી લીધા બાદ કંપનીના અધિકારીઓ તેમજ ત્રણેય કર્મચારીઓ પ્રથમ માં આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા.