-
Today 25-06-2025 08:18:pm
નર્મદા કેનાલમાં અત્યંત ક્રૂરતાપૂર્વક ગળું વેંતરીને ફેંકી દેવાયેલા યુવાનની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે તપાસ કરતા આ સમગ્ર બનાવ હત્યાનો હોવાનું જાણવા મળ્યું હતું અને યુવકની ઓળખ થતા તેની પત્ની પૂજા ની ફરિયાદ ના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મરણ જનાર યુવાન રાહુલ રાકેશકુમાર ગૌડ આતો અને તે તેની પત્ની તેમજ બે દીકરીઓ સાથે વરસામેડી ખાતે આવેલી ગુરુકૃપા સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. તેની પત્ની પૂજા અને તે બંને વેલસ્પન માં કામ કરતા હતા.. બંનેની શીફ્ટના ટાઈમિંગ અલગ અલગ હતા. ડ્યુટી સવારે 7:00 થી સાંજના સાત અને તેની પત્નીની ડ્યુટી બપોરે ત્રણ થી રાત્રે 11 વાગ્યાની હતી. ગુરુવારે રાહુલ નિયમિત પણ એ નોકરીએ ગયેલો અને ત્યાર પછી તેની પત્ની બંને દીકરીઓને જમાડીને નોકરીએ પહોંચેલી. મોડી સાંજે આઠેક વાગે પૂજાય રાહુલને ફોન કર્યો હતો તો તેને પોતે બજારમાં સામાન લેવા ગયો હોવાનું જણાવ્યું હતું પરંતુ રાત્રે પૂજા ઘેર આવી ત્યાં સુધી રાહુલ પરત ના આવતા તેને ચિંતા થઇ આવી હતી. તેથી તેણે તેની બાજુમાં રહેતા અને વેલસ્પન કંપનીમાં જ નોકરી કરતા અને રાહુલના મિત્ર એવા ઇન્દ્રજીત મળી સાથે પતિને શોધખોલ આરંભી હતી . આ દરમિયાન આજે બપોરે પોલીસને જાણ થઈ હતી કે નર્મદા કેનાલમાં ગળું કાપીને ફેંકી દેવાયેલી હાલતમાં એક યુવાન મૃતદેહ મળી આવ્યો છે. અંગે પોલીસ દ્વારા એક બાજુ તપાસ શરૂ કરવામાં આવી અને બીજી બાજુ પૂજા એ પણ પોલીસ સ્ટેશનને પહોંચીને પતિની ઓળખ કરી હતી. 32 વર્ષના યુવાન એવા રાહુલને કોઈ અંગત અદાવતમાં ક્રૂરતાપુર્વક રહેંશી નાખ્યો કે પછી કયા કારણોસર તેની હત્યા કરવામાં આવી તે અંગે પોલીસે તપાસ આરંભી છે.