-
Today 25-06-2025 08:49:pm
અબડાસાના ખીરસરા વિજાણ ગામમાં આસપાસની અત્યંત મહામૂલી જમીન પર ઉગેલા વૃક્ષોનો સોથ વાળીને તે જમીન ખાણ માફિયાઓને બારોબાર પધરાવી દેવામાં આવી હોવાની ફરિયાદ મહેસુલ મંત્રી સમક્ષ કરવામાં આવી છે ખીરસરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5 ના ફિરદોષ બેન હિંગોરા એ પત્ર લખીને સરકારી તંત્રને જાણ કરી છે અને આ અંગે તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી માંગણી કરી છે
સમગ્ર કચ્છની અમૂલ્ય ધરતીના પેટાળમા મૂલ્યવાન ખનીજ ધરબાયેલ છે તે ખનીજ ને યેનકેન પ્રકારે મેળવવા માટે જમીન દલાલો દ્વારા પોતાનો સ્વાર્થ પૂરો કરવા માલીકી ની જમીનો માંથી કમાણી કરતા જમીન દલાલો ગૌચરને પણ વેચવામાં જરા પણ સંકોચ વીના પોતાના અંગત સ્વાર્થ માટે વેચી નાખતા હોય તેવુ સ્પષ્ટ દેખાય છે જાણવા મળતી માહિતી મુજબ ખીરસરા વી માં આવેલ સર્વે નંબર ૧૬૬ ૧૬૭ ૧૪૭ ૧૪૮ ૧૪૬ ગૌચર જમીન આવેલ તે જમીન માં અઢળક ખનીજ આવેલ હોઈ જાણે પોતાની માલીકીની હોય તે રીતે વેચી નાખવામાં જમીન દલાલો જમીન ખરીદનાર ને જૂઠો આશ્વાસન આપી પધરાવી દેતા હોય છે તે દેખાઈ આવે છે સાત બાર ક્યાંક હોય અને જમીન ક્યાંક બતાવવી લાખો રૂપિયાની કમાણી કરતા દલાલો જાણે કાયદો પોતાનો હોય તે રીતે ખરીદનાર ને એવું આશ્વાસન આપે છે કે આ જમીન તેમને સીટમાં બેસાડી આપવાની જવાબદારી પણ લે છે તો તે ગૌચર જમીન પર ખીરસરા મીયાણી હાજાપર રેલડીયા મંજલ ગામના માલધારીઓ પોતાના ગૌવંશ ને ચરિયાણ માટે નીમ થયેલ જમીન સાફ કરી નાખવામાં આવતા માલધારીઓ ગૌ પ્રેમીઓમાં રોસ જોવા મળેલ છે માલધારીઓ પોતાના માલ ને ચરિયાણ માટે ક્યાં લઇ જવું તેઓ મુશ્કેલીમાં મુકાયા છે ખનીજ ચોરી થતી અટકાવવા સરપંચ સાહેબ અને માલધારીઓ અરજીઓ કરતાં હોય તો ગૌચર જમીન પચાવવી પાડનારાઓ સામે એવા કેવાતા માલધારીઓ અને સરપંચ કેમ મોન છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સરપંચ અને કેવાતા માલધારીઓ શું પોતાની આમાં થી કમાણી કરી લીધેલ હોય તેવુ દેખાઈ રહ્યો છે તેની તંત્રએ ચોક્કસ અને સચોટ માહિતી મેળવી કાર્યવાહી કરવા માલધારીઓની માંગ ઉઠી છે ગૌચર જમીન હડપવાની કોશીશ કરતા લોકો સામે કાર્યવાહી થશે કે નહિ સરપંચ અને માલધારીઓ ખનીજ ચોરી અટકાવવા પ્રયત્નો કરતા હોય તો આવા મુદ્દાઓ સામે કેમ અવાજ ઉઠાવતા નથી તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યાં છે જમીન ખરીદનાર ને ગૌચર જમીન છે ખબર હોવા છતાં ખરીદી લે છે ગામ ખીરસરા વી ના રે સર્વે નં ૧૩૯ ટાવર્સ પૈકીની જમીન જે સરકાર શ્રી હસ્કત રહેલ ગામના લોકોને સાંથણીમાં ફાળવેલ છે જે લોકો ને જમીન ફાળવવા માં આવેલ જમીન નો કબજો મેળવવાની દરકાર કર્યા વગર પોતાને અનુકુળ લાગે તેવી ગૌચર જમીન સર્વે નંબર ૧૬૬ ૧૬૭ ૧૪૬ ૧૪૭ ૧૪૮ છે તે જગ્યાએ આવેલા વૃક્ષો જેવા કે દેશી બાવળ ખેર કરડ વગેરે ને સાફ કરી કબજો કરી લીધેલ છે જે ખેતી માટે ફાળવવામાં આવેલ છે તે જગ્યાએ નહીં પણ જ્યાં ગૌચર આવેલ છે ત્યાં કબજો કરી લીધેલ છે ગામનું પ્રમોલીગેશન થયેલ નથી તેનો લાભ લઈ ગૌચર જમીન હડપવાની કોશીશ કરતા લોકો સામે કાર્યવાહી અને ગૌચર જમીન દબાણ દૂર કરવામાં આવે જેથી ગૌ વંશ ને ચરિયાણ નો પ્રશ્ન ઉભો થયેલ છે તે પ્રશ્ન નો હલ લાવવા માટે તંત્રએ યોગ્ય પગલા લઈ કાર્યવાહી કરવા ગામલોકો ની માંગ છે