-
Today 25-06-2025 08:35:pm
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા કચ્છના છેવાડાના પાંચ ગામોમાં શરૂ કરવામાં આવેલા એક્સટેન્શન સેન્ટરોમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી એક અનેરો પ્રયાસ શરૂ કરી શિક્ષણની નવી જ્યોત જલાવી છે. કચ્છ યુનિવર્સિટીના આ પ્રયાસને બિરદાવતા કચ્છનાં પૂર્વ કલેકટર અમિત અરોરા દ્વારા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ સાથેની મુલાકાતમાં કચ્છમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વિસ્તારવા પુરતો સહયોગ આપવાની ખાતરી આપી યુનિવર્સિટીને આ બાબતે મદદરૂપ થવા ઉત્સાહ દર્શાવ્યો હતો. એની ફળશ્રુતિ રૂપે યુનિવર્સિટીને આ એક્સટેન્શન સેન્ટરોમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે વાહન વ્યવહારની જરુરી સગવડ ઊભી થાય એ હેતુથી કંપનીઓના CSR ફંડમાંથી મદદ મળી શકે એવી વિનંતી કરવામાં આવી હતી. તત્કાલીન કલેકટર અરોરા દ્વારા તુરત જ આ બાબતે યુનિવર્સિટીને જણાવેલું કે PGVCL ના CSR ફંડમાંથી મદદ મળે એ માટે તમે રજૂઆત કરી શકો છો એવું જણાવેલ. આથી યુનિવર્સિટી દ્વારા PGVCL ના CSR ફંડમાંથી યુનિવર્સિટીને વાહનની સુવિધા મળે તે માટે દરખાસ્ત કરવામાં આવી હતી. PGVCL દ્વારા યુનિવર્સિટીની આ દરખાસ્ત ને સ્વીકારવામાં આવેલી છે અને યુનિવર્સિટીને આ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા સ્ટાફને લેવા મૂકવાના હેતું માટે વાહન વસાવવા ₹42 લાખ નું ફંડ ફાળવવામાં આવેલ છે. યુનિવર્સિટીને પીજીવીસીએલના CSR માંથી 22 સીટની બે મીની બસ વસાવવા સહયોગ મળેલ હોય. આ બસ યુનિવર્સિટીમાં શૈક્ષણિક પ્રવૃત્તિ માટે સ્ટાફને અને વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાય તે રીતે તેનો ઉપયોગ કરશે. કંપનીની સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ મળતી આ મદદને હરખભેર આવકારીને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ એ PGVCLનો આભાર વ્યક્ત કર્યો છે. કુલપતિએ સાથે કચ્છના છેવાડાના વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણની આ જ્યોત સતત ઝળહળતી રાખવા અન્ય સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ અને કંપનીઓ આગળ આવે એવી વિનંતી કરી છે. CSR હેઠળ વધુ મદદ મળી રહેશે તો કચ્છમાં ઉચ્ચ શિક્ષણનો રેસીયો ખૂબ ઊંચો લઈ જઈ શકાશે એમ જણાવી યુનિવર્સિટીના પ્રયાસોમાં સહયોગ આપી સામાજિક જવાબદારી નિભાવે તેવી પણ વિનંતી કરવામાં આવી છે.