-
Today 25-06-2025 09:34:pm
સૌરાષ્ટ્ર કચ્છમાં સૂર્યનારાયણનો પ્રકોપ છવાયો છે અને આગામી બુધવાર સુધી તેમાં કોઈ પ્રકારની રાહત મળે તેવી શક્યતા નથી. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આગામી બુધવાર સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ વધશે અને આગામી ચાર દિવસમાં ચારથી પાંચ ડિગ્રી જેટલું મહતમ તાપમાન વધશે. હવામાન વિભાગે આગામી બુધવાર સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં હીટ વેવની ગંભીર અસર જોવા મળશે અને આકાશમાંથી જાણે અગ્નિવર્ષિ હોય તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી જોવા મળશે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ અને ખાસ કરીને કચ્છવાસીઓને આ સમય દરમિયાન કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે. 9 તારીખ સુધી ગરમીથી કોઈ જ રાહત મળે તેવા સંકેત ન હોવાનું પ્રમાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે અત્યંત જરૂર પડે તો જ બહાર નીકળતી વખતે પણ ટોપી ચશ્મા વગેરે પહેરીને અને મહત્તમ પાણી પીતા રહેવાની તાકીદ કરવામાં આવી છે
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર "હીટવેવ”થી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. ગુજરાતના નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હિટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે રાહત કમિશનરની કચેરી દ્વારા "હિટવેવ” માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય • પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું • નાગરિકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું • ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો • ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં. • ઉપવાસ કરવાનું ટાળવું • મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું • ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો. • સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું. • હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું • બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા • બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવ • હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું. • બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.