-
Today 25-06-2025 09:29:pm
અમદાવાદમાં 242 ઉતારુઓ સાથેનું એર ઇન્ડિયા નું વિમાન તૂટી પડ્યું: આ ભયાનક દુર્ઘટનામાં સો થી વધુના મોતની આશંકા વિમાન ઉડાન ભરતી વખતે માત્ર બે મિનિટની અંદર જ તૂટી પડ્યું: 200 થી વધુ ઉતારુંઓ સાથે અમદાવાદ થી રવાના થયેલું એર ઇન્ડિયા નું વિમાન થોડી જ ક્ષણોમાં તૂટી પડતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા .આ વિમાન માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ રવાના થયા હોવાની વાતો થઈ રહી છે જોકે હજુ સુધી એર ઇન્ડિયા દ્વારા ઉતારુઓની યાદી જાહેર નથી કરવામાં આવી. ગુજરાતમાં ભયાનક દુર્ઘટના પગલે ગૃહમંત્રી અમિત શાહ એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સાથે વાતચીત કરીને કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાહત તેમજ મદદની ખાતરી આપી સુરત કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ પહોંચવા રવાના
એર ઈન્ડિયાની માહિતી પ્રમાણે ફ્લાઈટ નંબર a171 અમદાવાદથી લંડન ગેટવિક એરપોર્ટ જવા માટે રવાના થઈ હતી અને ઉડાનની થોડી ક્ષણો પછી જ તૂટી પડી હતી આ વિમાનમાં 242 લોકો રવાના થયા હતા જેમાંથી બે પાયલેટ અને દસ કેબીન ક્રુનો સમાવેશ થતો હોવાનો dgcl દ્વારા જણાવવામાં આવ્યું હતું વિમાનને પાયલેટ સુમિત્ સાબરવાલ અને ફર્સ્ટ ઓફિસર કલાઇવ કુંડેર ચલાવી રહ્યા હતા વિમાન એ બપોરે 1:38 મિનિટે ઉડાન ભરવાની સાથે જ થોડીક વારમાં જ તૂટી પડ્યું હતું અને ઘટના સ્થળેથી ધુમાડાના ગોટેગોટા અને કાળા વાદળો આકાશમાં છવાઈ ગયા હતા